મધ્યપ્રદેશના ખજુરાહો-પન્ના રેલ લાઇન પ્રોજેક્ટમાં
રેલવે વિભાગની આ એક ગંભીર અને મોટી બેદરકારી સામે આવી છે. શરૂઆતી ડિઝાઇનમાં ખામી હોવાને કારણે પર્યાવરણ અને સરકારી તિજોરી બંનેને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે
આ રેલ લાઇન માટે વર્ષ 2022-23 દરમિયાન પ્રાથમિક રૂટ નક્કી કરીને તેના પરના 54,578 વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા.
મોટો ખર્ચ: આ વૃક્ષોને કાપવા અને પ્રાથમિક કામગીરી પાછળ અંદાજે ₹24.78 કરોડનો ધુમાડો કરવામાં
આવ્યો હતો .
ટેકનિકલ ભૂલ: વૃક્ષો કાપ્યા બાદ રેલવે સત્તાધીશોને જાણ થઈ કે જૂની ડિઝાઇન સુરક્ષિત નથી અને તેમાં ગંભીર ટેકનિકલ ખામીઓ છે. આથી તે આખો રૂટ રદ કરીને નવો રૂટ (એલાઈનમેન્ટ) ફાઇનલ કરવામાં આવ્યો છે.
નવા રૂટની ડિઝાઇન: નવી ડિઝાઇનમાં વળાંકોની
સંખ્યા ઘટાડવામાં આવી છે. હવે 8 ટનલની જગ્યાએ 7 ટનલ અને 10 મોટા પુલ બનાવવાનું આયોજન
વધારાના 50,000 વૃક્ષો: બદલાયેલા નવા રૂટના કારણે હવે ફરીથી તે વિસ્તારમાં આશરે 50,000 જેટલા નવા વૃક્ષો કાપવા પડશે. આમ, એક જ પ્રોજેક્ટ માટે કુલ 1 લાખથી વધુ વૃક્ષોનો બલિદાન અપાશે.






