વાવ-થરાદ જિલ્લાના મલુપુર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આયોજિત 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તિરંગાને ગર્વભેર સલામી આપી.

આ અવસરે યોજાયેલી શાનદાર પરેડનું નિરીક્ષણ કર્યું, જેમાં વિવિધ પ્લાટૂનના જવાનોએ શૌર્ય અને શિસ્તથી વાતાવરણને દેશભક્તિનો ઉત્સાહ રંગે રંગી દીધું.

ગુજરાતના અદભુત વારસાને રજૂ કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને વિવિધ કરતબોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા..






