બારડોલી ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતરસિંહ આર્યની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

——-
*બેઠકમાં આદિજાતિ સમાજના આરોગ્ય, શિક્ષણ અને આવાસના પ્રશ્નોની ચર્ચા કરાય*
——-
*સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ

——-
રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતરસિંહ આર્યના અધ્યક્ષસ્થાને બારડોલી નગરપાલિકા ખાતે અનુસૂચિત જનજાતિ સમાજના સર્વાંગી ઉત્થાન માટે અમલી સરકારી યોજનાઓ તેમજ સ્થાનિક પ્રશ્નો અને તેના નિવારણ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં અધ્યક્ષશ્રીએ આદિજાતિ સમાજ માટેની કલ્યાણકારી યોજનાઓ અંગે વિવિધ સમિતિઓના સૂચનો સાંભળ્યા હતા. આરોગ્યલક્ષી સેવાઓની ઉપલબ્ધતા અને વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિના પ્રશ્નો તેમજ ખેડૂતોને મળતી વિવિધ સબસિડી અને ખેતી વિષયક યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અંગે ચર્ચા કરી જ્ઞાતિના પ્રમાણપત્રો મેળવવામાં પડતી મુશ્કેલીઓના કાયમી નિરાકરણ માટે વહીવટીતંત્રને સૂચન કર્યા હતા.

અંતર સિંહ આર્ય – રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) નવી દિલ્હી, સ્વરાજ આશ્રમ બારડોલી ની મુલાકાતે…






