ગુજરાતમાંથી ઝડપાયેલા 3 આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, અનેક શહેરોમાં આતંકી હુમલો કરવાનું હતુ ષડયંત્ર
આતંકીઓની સૌથી મહત્વપૂર્ણ લાગેલી માહિતીમાં સ્પષ્ટ થઇ રહ્યું છે કે આતંકીઓના પાકિસ્તાન કનેક્શન સાથે સૌથી મોટા હત્યાકાંડના પ્લાનને અંજામ આપવાની ફિરાકમાં હતા. રાઇઝિન નામનું ઝેર ખવડાવી હજારો લોકોને મારી નાખવાનો પ્લાન હતો. આતંકી અહેમદ સૈયદે સૌથી મોટા હત્યાકાંડને લઇને કાવતરૂ ઘડ્યું હતું.
ગુજરાતમાંથી ઝડપાયેલા 3 આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, અનેક શહેરોમાં આતંકી હુમલો કરવાનું હતુ ષડયંત્ર
ગુજરાતમાં ઝડપી પાડવામાં આવેલા આતંકીઓની પૂછપરછમાં ઘણા ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવ્યા છે. પોલીસે જણાવ્યુ કે આતંકીઓએ અમદાવાદ, લખનઉ અને દિલ્લી જેવા મોટા શહેરોમાં હુમલાની તૈયારી માટે રેકી કરી હતી. આંતકીઓએ અમદાવાદમાં ભીડભાડવાળા વિસ્તારોની નકશી તૈયાર કરી હતી. લખનઉમાં RSS ઓફિસની રેકી કરવામાં આવી હતી, જ્યારે દિલ્લીની આઝાદપુર મંડીના વિસ્તારમાં પણ તેઓએ રેકી કરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આતંકીઓ રાઇઝિન ઝેરનો ઉપયોગ કરીને ભયંકર હુમલો કરવાની તૈયારીમાં હતા






