ઘણાં વર્ષોથી સેવાકીય અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સતત કાર્યરત.. સેવાકીય સ્વાભિમાન ગ્રુપ :

બારડોલી સ્વાભિમાન ગ્રુપ દ્વારા પ્રતિ દરવર્ષ નૂતનવર્ષ ના દિવસે જલારામ મંદિર ખાતે જરૂરિયાત મંદોને ગરીબોને નવા વસ્ત્રોનું વિતરણ કરવામાં આવે છે. બારડોલીના ચિરાગભાઈ જોશી અને NRI દિપકસિહ ચાવડા દ્વારા સહયોગ સહકાર થી
જરૂરિયાતમંદ ગરીબ પરિવારના બાળકો, યુવાનો અને બહેનો વડીલોને નવા વસ્ત્રો આપવામાં આવ્યા છે દર વર્ષની જેમ આજે પણ આનંદ ઉત્સાહનો માહોલ સર્જાયો નવાં બેસતા વર્ષના દિવસે. સ્વાભિમાન ગ્રુપની અને શ્રી રાજપુત કરણી સેના સાથે મળી સેવાકીય પ્રવૃત્તિઓ સતત કાર્ય કરે છે
સામાજિક આગ્રણી અજીતસિંહ સુરમાં અને સ્વાભિમાન ગ્રુપના મેમ્બર કમલજીતસિંહ ચાવડા તેમજ મિતુલસિંહ સૂરમાં શ્રી રાજપુત કરણી સેનાના અધ્યક્ષ મેહુલ દેસાઈ બારડોલી તાલુકાના મહામંત્રી જસપાલસિંહ પરમાર તેમજ ગુજરાત આત્મીય ન્યુઝ એડિટર હિમાંશુભાઈ ઠાકોર. અમરસિંહ સોલંકી સર્વે બારડોલી શહેર ના મહેમાનોએ વડીલ ભક્તોએ આ આનોખૂ માનવતા ભર્યું ગરીબ વર્ગને મદદ કરવાની ભાવના સ્વાભિમાન ગ્રુપની બિરદાવી હતી. જલારામ બાપા ના પાવન સાનિધ્યમાં આ સેવા કાર્ય માધ્યમ થી ઘણા અનેક ગરીબ પરિવાર ને વસ્ત્ર કપડા નું વિતરણ કરવામાં આવે છે


ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી






