ગુજરાત રાજ્યના. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત લીધી…

રાજ્યપાલશ્રીએ નાયબ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી પ્રકાશના પર્વ દિપોત્સવની શુભેચ્છાઓ પાઠવી…
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ દેશમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન, આત્મનિર્ભર ભારત, સ્વચ્છતા અભિયાન જેવા વિષયો પર નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા કરી…

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, કાયદો અને વ્યવસ્થા તેમજ રમતગમત ક્ષેત્રે થઈ રહેલા ઉત્કૃષ્ટ માળખાકીય બદલાવથી રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા…






