કામરેજ રાજપૂત સમાજ સંગઠનની મિટિંગ યોજાય..


ખાનપુર (કામરેજ): કામરેજ તાલુકાના ખાનપુર ગામે રાજપૂત સમાજની મિટિંગ મળી હતી. આ બેઠકમાં સમાજ અને સંગઠન એકતા વધારીને મજબૂત બનાવવા માટે જુદા જુદા સામાજિક પ્રશ્નનું નિરાકરણ જેવા અનેક વિષયો પર પર ચર્ચા વિચારણા કરવામાં આવી

મિટિંગમાં સ્થાનિક 22 ગામોમાંથી પધારેલ સામાજિક અગ્રણી જનકસિંહ મોહનસિંહ ચાવડા તથા નિકુંજસિહ કલ્યાણ સિંહ ઠાકોર. જયેન્દ્ર સિંહ કિશનસિંહ મેઘાત, ગંભીરસિંહ ચૌહાણ રાજેન્દ્રસિંહ ચૌહાણ મહેન્દ્રસિંહ ચૌહાણ. ચેતનસિંહ મોરી. ક્રિપાલસિંહ દેસાઈ વિમલસિંહ દેસાઈ .મેહુલસિંહ દેસાઈ. હિમાંશુ ઠાકોર . પ્રતિકસિહ દેસાઈ તેમજ ખાનપુર ગામના અનેક વડીલો સમાજસેવકો અને યુવાનો જોડાયા હતા. સૌના સહકારથી સંગઠનની રચના, નિયમો અને આવનારા કાર્યક્રમોની ચર્ચા થઈ હતી સમાજ માટે બંધારણ બનાવવામાં આવ્યું.

શિક્ષણ સંસ્કૃતિ સામૂહિક કાર્યક્રમ અને સમાજની એકતા અને વિવિધ મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરવામાં આવી..

*ગુજરાત આત્મીયતા ન્યૂઝ : કામરેજ*
—






