કેનેડા :– ભારત થી દૂર વિદેશ મા રહો છો, પણ ભારતીય સનાતન સભ્યતાને ભૂલશો નહીં : પ્રફુલભાઇ શુક્લ
વિન્ડ્સર કેનેડા રામકથા સંપન્ન થઈ


અમેરિકા : કેનેડા બોર્ડર પર વિન્ડ્સર શહેરમાં મીનાબેન અશોકભાઈ પટેલ ના નિવાસે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 883 મી રામ કથા ને આજે વિરામ અપાયો હતો પ્રફુલભાઇ શુક્લ એ ન્યૂ જનરેશન યુવાનો ને બોધ આપતાં કહ્યું હતું કે તમે ભારત થી દૂર રહો છો પણ ભારત ની સનાતન સભ્યતા અને સઁસ્કાર ને ભૂલશો નહીં જે દેશ માં રહો છો એને કાયમ વફાદાર રહેજો આ જ આપણા પૂર્વજો ના સઁસ્કાર છે,કથા આયોજક મીનાબેન અશોકભાઈ, નિકેતાબેન આશિષભાઇ અને નીલમબેન અંકિતભાઈ શાલ ઓઢાડી નેશાલ ઓઢાડી ને બાપુ એ સન્માન આશીર્વાદ આપ્યા..
આજે રોજ કથામાં પધારેલ સમીર પવાર, પ્રકાશ્બુરકુલ, વિકાસ મોરે, ગોવિંદ સિંદે, સુભાષમ્બોરે, સતીશકુમાર, જિજ્ઞાસા પટેલ,જાગૃતિ સઁજય દારૂવાળા, રસ્મિબેન પટેલ સહિત શ્રોતા ઓ એ પોથી પૂજન કર્યું હતું આચાર્ય ભાવેશભાઈ જોશી એ પૂર્ણાહુતી સઁકલ્પ કરાવ્યો હતો કથા વિરામ પછી પૂજ્ય બાપુ પ્રફુલભાઇ શુક્લ ટોરન્ટો જવા માટે રવાના થયા હતા..

જય શ્રી રામ
- તંત્રી : હિમાંશુ ઠાકોર : બારડોલી : ગુજરાત આત્મીયતા ન્યૂઝ : 9016924808






