પર્યાવરણ સંરક્ષણને ધ્યાને રાખીને આજે ગાંધીનગરમાં સચિવાલય કેમ્પસમાં એક સરસ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.

પ્લાસ્ટિકની બોટલના બદલે ગ્લાસની બોટલનો વપરાશ વધે તેવા અભિગમ સાથે આજે સચિવાલયમાં

ઈકો-ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો શુભારંભ કરાવ્યો. આ સુવિધા થકી કાચની બોટલમાં “સખી નીર” બ્રાન્ડ નેમ હેઠળ પીવાનું પાણી આપવામાં આવશે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્લાસ્ટિકના ઉપયોગને ન્યૂનતમ કરવાનું વિઝન આપ્યું છે, જે દિશામાં આગળ વધતા આ સુવિધા સચિવાલય સંકુલમાં શરૂ કરવામાં આવી છે.
આ પ્લાન્ટનું સંચાલન ‘માં નર્મદા એકતા મહિલા મંડળ’ દ્વારા કરવામાં આવશે.
કાચની બોટલના પરિવહન માટે જે ઈ-રિક્ષાનો ઉપયોગ થવાનો છે તેને આ અવસરે ફ્લેગ-ઑફ કરાવ્યું, તેમજ આ પ્લાન્ટની સંચાલક સખીમંડળની બહેનો સાથે સંવાદ કરી તેમને શુભકામના પાઠવી.
રાજ્ય સરકાર દ્વારા સ્ટાર્ટઅપ્સને આપવામાં આવતા માર્ગદર્શન અને પ્રોત્સાહનનો લાભ લઈને યુવાઓ દ્વારા આ પ્લાન્ટ તેમજ ઈ-રિક્ષા વિકસાવવામાં આવ્યા છે, તે આનંદની વાત છે.






