
ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભગવાન શ્રી જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર 148મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ શ્રી જગન્નાથજી મંદિર ખાતે સંધ્યા આરતીમાં સહભાગી થયા હતા તેમજ ભગવાન શ્રી જગન્નાથજીની કૃપા ગુજરાત અને સમગ્ર દેશ પર સદાય વરસતી રહે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી.







