ગુજરાત સરકારના સહકાર વિભાગના માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, કૃષિ અને સહકાર વિભાગના અગ્ર સચિવ શ્રી સંદીપ કુમારજીએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરતની મુલાકાત લીધી

આ મુલાકાત પ્રસંગે #APMC સુરતની કામગીરી, વિવિધ પ્રકલ્પ, ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ, બાયો ગેસ પ્લાન્ટ, કૃષિ બજારની કામગીરી તેમજ સરદાર માર્કેટ (શાક માર્કેટ) ખાતે સમગ્ર ભારતમાંથી અલગ રાજયના શાકભાજી વેચાણ અર્થે આવે છે. તેમજ મુંબઈ દિલ્હી બેંગ્લોર .સુધી વેપારીઓ દ્વારા શાકભાજી અહીં થી ખરીદી કરે છે..તેની માહિતી આપી માર્ગદર્શન મેળવ્યું તેમજ સંસ્થાની ઉપલબ્ધિઓ સુવિધા વિશે માહિતગાર કર્યા.
આ અવસરે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરતના વાઇસ ચેરમેન શ્રી હર્ષદભાઈ પટેલ તથા ધારા સભ્ય સંદિપ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતાં…
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : સુરત






