સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને સફળ બનાવવાનો સંકલ્પ સાથે

બારડોલી સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે સુરતમાં વડાપ્રધાનના કાર્યક્રમ અંગે જિલ્લા ભાજપની બેઠક યોજાઈ.

બારડોલી સુરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તા.૭/૩/૨૦૨૫ ના રોજ નીલગીરી સર્કલ, લિંબાયત, સુરત ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. જે અંગે આયોજનના ભાગરૂપે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક અગત્યની બેઠક પ્રમુખ ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં બારડોલીના કમલમ ભાજપ મધ્યસ્થ કાર્યલાય ખાતે યોજાઈ હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને સફળ બનાવવા મહાનુભવોએ વાર્તાલાપ કર્યો હતો, કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, સુરત જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, જિલ્લા મહામંત્રીઓ જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, કિશનભાઈ પટેલ તથા જિલ્લાના તમામ મંડળના તાલુકા સંગઠનના પ્રમુખ, મહામંત્રીઓ, હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
*ગુજરાત આત્મીયતા ન્યુઝ બારડોલી*






