વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે બિહાર ખાતેથી ‘પીએમ કિસાન સન્માન નિધિ’ યોજનાના 19 માં હપ્તા હેઠળ, દેશના 9.8 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 22,000 કરોડથી વધુની સહાયની ચૂકવણી સીધા તેમના બેંક ખાતામાં જમા કરાવ્યા હતાં.

જે અંતર્ગત, ગુજરાત રાજ્યના 51.41 લાખથી વધુ ખેડુતોને રુ. 1148 કરોડથી વધુની રકમની ચૂકવણી કરી ખેડૂતો ને આર્થિક મદદ કરવા આવી હતી.
ગુજરાતમાં ગાંધીનગર ખાતે આયોજિત આ કાર્યક્રમની રાજ્યકક્ષાની ઉજવણીમાં ખેડૂતમિત્રોની સાથે સહભાગી થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વક્તવ્યને સાંભળવાનો અવસર ગુજરાત રાજ્યના સર્વ રાજકીય આગેવાનો મહાનુભાવો અને રાજયના ખેડૂતો મળ્યો હતો.






