રોટરી કલબ ઓફ સુરત દ્વારા ભાડુંત ગામના વતની ડૉ ધર્મેન્દ્ર પટેલને નેશન બિલ્ડર એવોર્ડ એનાયત
.
શિક્ષક તરીકે રાષ્ટ્ર નિર્માણમાં અમૂલ્ય યોગદાન માટે ભાડુંત ગામના વતની ડૉ ધર્મેન્દ્ર પટેલ ને નેશન બિલ્ડર એવોર્ડ એનાયત.
દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડો.રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888 ના રોજ તામિલનાડુના તિરુમાણી ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમને બાળપણથી જ પુસ્તકો વાંચવાનો શોખ હતો અને તેઓ સ્વામી વિવેકાનંદથી ખૂબ પ્રભાવિત હતા. રાધાકૃષ્ણનનું 17 એપ્રિલ 1975 ના રોજ ચેન્નઈમાં અવસાન થયું.
1962 માં જ્યારે તેમણે ભારતના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું ત્યારે તેમના કેટલાક વિદ્યાર્થીઓ અને મિત્રો તેમની પાસે પહોંચ્યા અને તેમને તેમના જન્મદિવસની ઉજવણી કરવાની મંજૂરી આપવા વિનંતી કરી. તેણે જવાબ આપ્યો કે મારો જન્મદિવસ અલગથી ઉજવવાને બદલે જો આ 5 સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે તો તે મારા માટે ગૌરવપૂર્ણ લ્હાવો હશે. ત્યારથી શિક્ષક દિવસ તેમની જન્મજયંતિ એટલે કે 5 સપ્ટેમ્બરે ઉજવવાનું શરૂ થયું. એ અંતર્ગત હાલ કોબા શાળા માં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. રોટરી ક્લબ ઓફ સુરત 13 સપ્ટેમ્બર ના દિવસે સન્માન કરવામાં આવ્યું. રોટરી કલબ ઓફ સુરત આયોજન કરનારા શ્રી નિખિલભાઈ મદ્રાસી, અને એમની ટીમ દ્વારા ખુબ સુંદર રીતે સમગ્ર કાર્યક્રમ યોજાયો.






