Breaking News: ગુજરાતની ધરતી પરથી રાહુલ ગાંધીનો હુંકાર, “અયોધ્યાની જેમ જ ગુજરાતમાં ભાજપ હારશે”
12 વર્ષ બાદ અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. આ તકે તેમણે હુંકાર કર્યો
કે આ લોકસભા ચૂંટણીમાં તમે જોયુ હશે કે વારાણસીમાંથી પીએમ મોદી મોદી મહાનતે જીતી શક્યા છે. રામના નામે વોટ માગનારાઓને અયોધ્યામાં હારનો સામનો કરવો પડ્યો છે. રાહુલે કહ્યુ અયોધ્યાની જેમ ગુજરાતમાં ભાજપને હરાવીને રહેશુ. વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધી પહેલીવાર ગુજરાત પહોંચ્યા છે. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન રાહુલે કહ્યું હતું કે આ વખતે તેઓ ગુજરાતમાં ભાજપને હરાવશે. આ નિવેદન બાદ રાહુલની ગુજરાત મુલાકાત એ સંકેત છે કે તેમણે 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહીં કોંગ્રેસ લાંબા સમયથી સત્તાથી દૂર છે. અને 30 વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાત રાજ્યના કોંગ્રેસના વરિષ્ઠ હોદ્દેદારો આગેવાનો સાથે શક્તિસિંહ ગોહિલ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું . મહાત્મા ગાંધીબાપુ ના ગુજરાતમાં આવનારા સમયમાં કોંગ્રેસ ફરી ગુજરાતમાંથી સત્તા વાપસી કરશે રાહુલ ગાંધી. ગુજરાત કોંગ્રેસ ના કાર્યકર્તાઓમાં આનંદ ઉત્સાહ છવાઈ ગયો






