સુરત આત્મકુંજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનોના અભ્યાસ કરતા 31 બાળકો ને સ્કૂલ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો..

જેમાં સુરત આત્મકુંજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્કૂલ બેગ, નોટબુકો,લંચ બોક્સ, પાણી ની બોટલ,કંપાસ સેટ, મિઠાઈ આપવામાં આવ્યા હતા.

તેમજ બાળકો માટે પ્રીતિ ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી નવા નવા નોટબૂક. લંચ બોક્સ પાણીની બોટલ વગેરે મેળવીને બાળકોમાં અતિ આનંદિત ઉત્સાહિત જોવા મળ્યા હતા
આત્મકુંજ ચેરીટેબલ ટ્રસ્ટ સેવાભાવી પ્રમુખ શ્રીમતી ભદ્રિકા ગાંધી તેમના ટ્રસ્ટ ની સમગ્ર ટીમ સાથે પ્રિયંકાબેન,રજનીબેન,
વિજયભાઈ,અલ્પાબેન
કૈલાસભાઈ, સુનીલભાઈ,રીટાબેન સૌ સાથે
મળી બાળકોને ઉત્તમ અભ્યાસ માટે અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી પ્રોત્સાહિત કરતું અનોખું સેવાભાવી સરાહનીય કાર્ય કર્યું હતું …

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : સુરત : તંત્રી : હિમાંશુ ઠાકોર :- 9016924808






