બારડોલી :- મધ્ય પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવએ ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ ના ISO પ્રમાણિત “જન સંપર્ક કાર્યાલય” ની મુલાકાત લીધી અને ત્યાંની કાર્ય પ્રણાલીથી માહિતગાર થયા.

આ પ્રસંગે સુરત મહાનગર ભાજપના પ્રમુખ પરેશભાઈ પટેલ, ગુજરાત સરકારના મંત્રી મુકેશભાઈ પટેલ, સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજનભાઈ પટેલ, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, સંગીતાબેન પાટીલ, પ્રવિણભાઈ ઘોઘારી, સુરત મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા તેમજ સુરત મહાનગરના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં..






