શંકર ધોધ નામ કેમ પડ્યું?આ ધોધનું નામ “શંકર” એટલે કે ભગવાન શિવના નામ પરથી પડ્યું છે.એવું માનવામાં આવે છે કે આ જગ્યા પહેલેથી જ શિવભક્તો માટે શ્રદ્ધાનો વિષય રહ્યો છે.

આસપાસના વિસ્તારમાં શિવના ઘણા નાના-મોટા મંદિરો પણ જોવા મળે છે – જેમ કે બરુમલ શિવ મંદિર.શંકર ધોધ નજીક આવેલા ધરમપુર ની ઘાટીઓમાં શાંત અને તપસ્વી જેવું વાતાવરણ છે, જેને કારણે લોકોએ આ ધોધને “શંકર ધોધ” તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું.શંકર ધોધ (Shankar Waterfall) એ ધરમપુર નજીક વલસાડ જિલ્લાના વિલ્સન હિલ્સના જંગલ વિસ્તારમાં આવેલો સુંદર અને લોકપ્રિય ઝરણુ છે.

વાઘવાલ ગામ નજીક, પાંગરબારી વન્યજીવ અભયારણ્યના હિસ્સામાં.આ ધોધ લગભગ 150 ફૂટની ઊંચાઈ પરથી પાણી પડતું જોવા મળે છે.ધોધના આસપાસ ગાધ જંગલ, ઠંડી હવા અને આદિવાસી વિસ્તારો છે જે પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : વલસાડ : ધરમપુર






