દિલ્લી ખાતે ગુજરાતથી પેટાચૂંટણીમાં ચૂંટાયેલ ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને પંજાબથી ચૂંટાયેલા ધારાસભ્ય સંજીવ અરોડાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો.

આજરોજ દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને મનીષ સિસોદિયા, ગોપાલ રાય, આતિષી સિંહ સહિતના સિનિયર નેતાઓની ઉપસ્થિતિમાં ગુજરાત અને પંજાબમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં પંજાબના પ્રદેશ અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી અમન અરોડા, પંજાબના નાણામંત્રી હરપાલસિંઘ ચીમા તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી અને મુખ્ય પ્રવક્તા રાકેશ હીરાપરા, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામ, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરિયા, કિસાન મોરચા અધ્યક્ષ રાજુભાઈ કરપડા, જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ હરેશભાઈ સાવલિયા, ભેસાણ તાલુકા અધ્યક્ષ કિશોરભાઈ સાવલિયા, જયસુખભાઈ પાઘડાળ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






