
બારડોલી.તા.18/06/2025 : ગુજરાત આત્મીયતા ન્યૂઝ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દિવગંત થયેલ ભાજપા નેતા અને ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી
અન્ય મૃતકોની આત્માની શાંતિ માટે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી કમલમ બારડોલી ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી.જેમાં શ્રદ્ધાંજલિ પાઠવી તેમજ આ પ્રસંગે તેમની સાથે અને તેમના દ્વારા કરેલ કર્યોને વાગોળ્યા હતા. આ નિમિતે 23 બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા, માંગરોલના ધારાસભ્ય ગણપત ભાઈ વસાવા, ગુણવંત ભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રીશ્રીઓ જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ તથા જિલ્લા મંડળના પ્રમુખ અને મહામંત્રી શ્રી ઓ તેમજ હોદેદારો, પદાધિકારીઓ અને કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા. શાંતિ પ્રાર્થના કરી હતી






