પરંપરા, સમર્પણ અને સેવા – આતિથ્યની આ ભવ્ય ભેટ!
મુ. પો. આશાપુરા માતાના મઢ, તા. લખપત – કચ્છ ખાતે શ્રી આશાપુરા રાજપૂત (ક્ષત્રિય) અતિથિ ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત સ્વ. મહારાવશ્રી પ્રાગમલજી સાહેબ ત્રીજા અતિથિ ભવનનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ મહારાણી શ્રી પ્રિતિદેવી સાહેબા ઓફ કચ્છના અધ્યક્ષ સ્થાને ગૌરવભેર યોજાયો.

પરંપરાગત મૂલ્યો અને સેવાભાવી ભાવનાથી પ્રેરિત આ અતિથિ ભવન શ્રદ્ધાળુઓ માટે વિશ્રામની સમર્પિત વ્યવસ્થા પૂરું પાડશે. સાથે જ, કચ્છના ઐતિહાસિક વારસાને જીવન્ત રાખતો અને ભવિષ્ય માટે પ્રેરણાદાયી દિશા દર્શાવતો એક પ્રશંસનીય પ્રયાસ બની રહેશે.

આ પાવન પ્રસંગે ટ્રસ્ટના તમામ સહયોગીઓ, કાર્યકર્તાઓ તથા સેવાભાવી સમાજસેવીઓ શંકરસિંહ વાઘેલા બાપુ.શક્તિસિંહ ગોહિલ. હકુભા. કેશરી સિહ.તેમજ રાજપૂત સમાજ આગેવાનો ઉપસ્થિત રહી ગૌરવ હાર્દિક અભિનંદન સહ આ ઉલ્લેખનીય કાર્યને સફળતાપૂર્વક સાકાર કરવા આવ્યું .
*આશાપુરા માતાના મઢ કચ્છ ભુજ*






