ગોંડલના મુદ્દે આમ આદમી પાર્ટી AAP ના નેતા ગોપાલ ઇટાલીયા એ સચોટ પ્રતિક્રિયા આપતા ભા.જ.પા પર પ્રહારો કર્યા…
ગોંડલ સહિત આખા ગુજરાતમાં ભાજપના ગુંડાઓ બેફામ થયા છે.
હમણાં બે દિવસ પહેલા તો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને DG 100 કલાકમાં ગુંડાઓનું લિસ્ટ બનાવવાની મોટી મોટી વાતો કરતા હતા અને એ દરમિયાન જ ગોંડલમાં ગુંડાઓએ એક નિર્દોષ યુવાનને બેફામ માર્યો.
પીડિત યુવાન જ્યારે આ બાબતે ફરિયાદ લખાવવા ગયો ત્યારે પોલીસે 24 કલાક સુધી ફરિયાદ ના નોંધી.
અમરેલી હોય, ગોંડલ હોય કે વિંછીયાની ઘટના આ દરેકમાં પોલીસની ભૂમિકા પર હંમેશા સવાલ ઊભા થાય છે.
ભાજપના રાજમાં આમ જનતા પરિસ્થિતિ એ છે કે ગુંડાઓથી બચવું કે પોલીસ થી બચવું?
પોલીસે ગુંડાઓ શોધવા હોય તો ભાજપમાં થોડીક તપાસ કરે કેમ કે મોટા ભાગના ગુંડાઓ આજે ભાજપમાં જુદા જુદા હોદ્દાઓ લઈને બેસી ગયા છે.
ગુજરાત આત્મીયતા ન્યુઝ : તંત્રી : શ્રી હિમાંશુસિહ ઠાકોર
Mo : 9016924808






