*બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન રખડતું ભટકતું જીવન જીવતા માનસિક અસ્વસ્થ મહિલા માટે બની આશીર્વાદ રૂપ ..*
*_બારડોલી અભયમ રેસ્કયું ટીમ ઘટના સ્થળ પર પહોચી મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે તેઓ માનસિક રીતે અસ્વસ્થ છે અને રખડતું ભટકતું જીવન જીવે છે જેઓને હાલ આશ્રય અને માનસિક બીમારીની સારવારની જરૂર હોવાથી જીવનજ્યોત માનવ મંદિર મંદબુધ્ધિ આશ્રમ, કામરેજ ખાતે સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે_*.
એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી મહિલા જેમની ઉંમર આશરે 35 વર્ષ હશે તેઓ પલસાણા તાલુકાના એરથાણ ગામમાં હળપતિવાસ પાસે સવાર થી એકલાં બેઠા છે. તેમના વર્તન પરથી તેવો માનસિક રીતે બિમાર હોય તેવું લાગે છે. તેથી મહિલાના કાઉન્સેલિંગ કરવા માટે ૧૮૧ ની મદદ ની જરૂર છે.
જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર પટેલ ખૂશ્બૂ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચૌધરી વંદનાબેન તેમજ પાઇલોટ પટેલ ધર્મેશભાઈ તાત્કાલિક બારડોલીથી નીકળી ઘટના સ્થળે અજાણી મહિલાની મદદ માટે પહોચ્યા. ત્યારબાદ ૧૮૧ ટીમે મહિલાની સાથે શાંતચીત સ્વભાવે પૂછપરછ કરેલ તેમનું નામ, સરનામું તેમના પરિવારના સભ્યોના નામ કે મોબાઈલ નંબર જાણવાના પ્રયત્ન કરેલ પરંતુ તેઓએ અલગ-અલગ ગામોના નામ જણાવ્યા હતા બીજું કાંઈ જ યાદ ના હતુ. ઘટનાસ્થળ પર હાજર હતા એ લોકોને પૂછપરછ કરી તેમજ આજુ-બાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલ પરંતુ મહિલા ને કોઈ ઓળખતા ન હતા. મહિલા એ તેમનુ નામ જણાવેલ પરંતુ બીજુ કોઈ માહિતી જણાવેલ નહીં તેમજ મહિલાને કોઈનું નામ કે મોબાઈલ નંબર કાંઈ જ યાદ ન હતાં. મહિલાનાં પરિવારજનોની કોઈ પણ માહીતી ન મળેલ તેથી મહિલાને હાલ આશ્રય અને માનસિક સારવારની મદદની જરૂર હોવાથી જીવનજ્યોત માનવ મંદિર મંદબુધ્ધિ આશ્રમ, કામરેજ, સુરત ખાતે સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે. આ ફોટા સાથે બહેનની માહિતી માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ અથવા જીવનજ્યોત માનવ મંદિર મંદબુધ્ધિ આશ્રમનો સંપર્ક કરવો.
ગુજરાત આત્મીયતા ન્યુઝ બારડોલી






